સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

આજનું શિક્ષણ ... ... ...

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે
પતંગિયાઓને પણ કહી દો સાથે દફ્તર લાવે
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું
સ્વીમિંગપૂલના સઘળા નિયમોનું પાલન કરવાનું
દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું
આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે
અમથુ કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો
'આઉટડેટ' થયેલો વડલો મારી કાઢે છે ભૂલો
-કૃષ્ણ દવે
મિત્રો , આ બ્લોગ વિશે આપનો અભિપ્રાય જણાવશો.અભિપ્રાય માટે અહીં ક્લીક કરો :
http://mukeshmerai.123guestbook.com/

© Reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.